વિશ્વ તમાકુ નિષેધ દિવસ 31મી મે
આચાર્યા,શાળા
નં ૯૩,નાના મવા, રાજકોટ
ત ....તમને
મા....મારી નાખતી
કુ ....કુટેવો
૧૯૮૭ માં વર્લ્ડ હેલ્થ
ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધીઓએ સાથે મળી ૩૧મી મેં “ તમાકુ નિષેધ દિન”
એટલે કે “વર્લ્ડ નો ટોબેકો ડે”તરીકે જાહેર કર્યો. દર વર્ષે ૩૧ મે ના
દિવસ ને "વિશ્વ તમાકુ નિષેધ દિવસ" તરિકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ
કાર્યક્રમો દ્વારા લોકોને તમાકુની શરીર પરની હાનીકારક અસરોથી અવગત કરાવવામાં આવે
છે અને લોકોને તમાકુમુક્તિ માટે પ્રેરણા આપવામાં આવે છે.
વિશ્વમાં તમાકુના
બંધાણીઓની કુલ સંખ્યા ૧૦૦ કરોડ કરતા પણ વધુ છે. જે પૈકીના ૮૦ કરોડ લોકો ભારત તથા
અન્ય વિકાસશિલ દેશોમાં રહે છે. તમાકુના લીધે વિશ્વમાં દર વર્ષે ૬૦ લાખ લોકો
મૃત્યુને ભેટે છે. જે પૈકીના ૫૦ લાખ લોકો પોતેજ તમાકુની બનાવટોનો કોઇપણ સ્વરુપે
ઉપયોગ કરતા હોય છે જ્યારે ૬ લાખ લોકો પોતે તમાકુના વ્યસની ના હોઇ પરંતુ અન્ય
તમાકુનો ઉપયોગ કરતા લોકોના સતત સંપર્ક ના લીધે મૃત્યુ પામે છે.
તમાકુ ઉત્પાદનો એ કોઇપણ રાષ્ટ્રના વિકાસ માટે
ખતરારુપ છે. અને તે લોકોના શારિરીક સ્વાસ્થ્ય માટે હાનીકારક છે, ઉપરાંત લોકોની આર્થીક સ્થિતી પણ
ખોરવાય છે. આમ આ તમાકુ ઉત્પાદનોના સેવનની ઉભી થયેલ વૈશ્વિક કટોકટીને પહોચીં વળવા વિવિધ સરકારો તેમજ લોકો
આરોગ્ય તેમજ વિકાસને પ્રાથમિકતા આપે તે જરુરી છે. આમ, આ વર્ષે વિશ્વ તમાકુ નિષેધ દિવસ
નિમીતે "તમાકુ વિકાસ માટે ખતરો" ને આ વર્ષની મુખ્ય થીંમ તરીકે પસંદ કરેલ
છે.
તમાકુ નિષેઘને વ્યાપક અર્થમાં લેતા તે માત્ર
શારિરીક સ્વાસ્થ્ય ની અસમતુલાના હેતુ ઉપરાંત તમાકુના પાક, ઉત્પાદન, વેચાણ અને ઉપભોગ સુધી થતી પ્રતિકુળ
અસરોને આવરી લે છે. તમાકુ નિષેઘ ગરીબી, ભુખમરો નો અંત આણી કૃષીવિષયક અને
આર્થિક વિકાસ અને લાંબાગાળે પર્યાવરણ ના ફેરફાર માં પણ પોતાના ફાળૉ નોંધાવે છે.
તમાકુ ઉત્પાદનો પર કરનું ભારણ વધારતા સરકારી આરોગ્ય વિષયક અને અન્ય વિકાસના
કાર્યોમાટે યોગ્ય ભંડોળ મળી રહે છે. આ ઉપરાંત લોકો વ્યક્તિગત રીતે પણ તમાકુ ઉત્પાદનો નો ત્યાગ
કરી તમાકુ પર વેડફાતા પૈસાનો આરોગ્યપ્રદ ખોરાક, સ્વાસ્થ્ય અને શિક્ષણ પાછળ સદઉપયોગ
કરી પોતાના જીવન માં નોંધપાત્ર પરીવર્તન લાવી શકે છે.
મોટાભાગના કિસ્સાઓમાં વ્યક્તિ
ક્ષણિક મોજ-મજા માટે તમાકુનો ઉપયોગ શરુ કરે છે જે આગળ જતા વ્યસનમાં પરિણમે છે. અને
તમાકુની અનુપસ્થિતીમાં અનુભવાતી બેચેની, અકળાંમણ, તણાવ, સુસ્તિને દુર રાખવા તેનો ઉપયોગ શરુ
રાખે છે. તમાકુની લાંબાગાળાની આડ અસરો જેવીકે, સ્ટ્રોક. ફેફસા, મોં, જીભ કે સ્વરપેટીનુ કેન્સર, હ્દયરોગ, ગર્ભાશય, પાચનતંત્ર તથા આંતરડાનુ કેન્સર, નપુંસકતા જેવી અસરો પ્રત્યે જાગૃતી તથા
તમાકુમુક્તિના પ્રયાસો મનોચિકિત્સકની સીધી દેખરેખ હેઠળ કરવાથી તમાકુમુક્તિના
પ્રયત્નો સફળ નિવડે છે.તમાકુ તમારા શરીરના વિવિધ ભાગો, જેવા કે મુખ, ગળું, ફેફસા, જઠર, મૂત્રપિંડ, મૂત્રાશય, વગેરેના કેન્સર માટે જવાબદાર છે. વિશ્વમાં
મુખ કેન્સરના સૌથી વધારે કિસ્સાઓ ભારતમાં છે અને તેનુ કારણ છે તમાકુ. ભારતમાં
પુરુષોના કેન્સરમાં તમાકુનો ફાળો 56.4 ટકા અને સ્ત્રીઓના કેન્સરમાં 44.9 ટકા છે. 90 ટકા કરતા વધારે ફેફસાના કેન્સર અને
ફેફસાના અન્ય રોગો ધૂમ્રપાનને કારણે થાય છે. તમાકુ હ્રદય અને રક્તવાહિનીઓના રોગ, હાર્ટ એટેક, છાતીમાં દુખાવો, હ્રદયરોગથી અચાનક મૃત્યુ, સ્ટ્રોક (બ્રેઇન એટેક), પેરિફેરલ વાસ્ક્યુલર રોગ (પગનું
ગેંગ્રીન). ભારતમાં ફેફસાનો ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ રોગના 82 ટકા માટે તમાકુ ધુમ્રપાન જવાબદાર છે.
તમાકુ આડકતરી રીતે ફેફસાનો ક્ષય કરે છે. કાયમી ધૂમ્રપાન કરનારાઓમાં ટીબી
લગભગ ત્રણગણો જોવા મળે છે. સિગારેટ કે બીડીનું જેટલું વધારે ધુમ્રપાન, એટલું ધુમ્રપાન કરનારાઓમાં ટીબીનું
પ્રમાણ વધારે. ધુમ્રપાન\તમાકુ અચાનક લોહીનું દબાણ વધારે છે
અને હ્રદય તરફ લોહીનો પ્રવાહ ઘટાડે છે તે પગ તરફ પણ લોહીનો પ્રવાહ ઘટાડે છે અને
પગમાં ગેંગ્રીન કરે છે. તમાકુ સમગ્ર શરીરની ધમનીઓની દીવાલોને
નુકસાન કરે છે. ધુમ્રપાન કુટુંબના બાળકો અને અન્ય
સભ્યો માટે પણ (સેકન્ડહેન્ડ સ્મોકિંગને કારણે) આરોગ્યના પ્રશ્નો સર્જે છે. રોજના
બે પેકેટ સિગારેટ પીનારી વ્યક્તિ સાથે રહેતી વ્યક્તિ સિગારેટ પીતી ના હોય તો પણ તે
મૂત્રમાં નિકોટિનના પ્રમાણ મુજબ દિવસની ત્રણ સિગારેટ જેટલું નિષ્ક્રિય ધુમ્રપાન
કરે છે. એ પણ જણાયું છે કે ધુમ્રપાન\તમાકુ વપરાશ ડાયાબીટીસનું જોખમ વધારે
છે. તમાકુ શરીરમાં સારા કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે.
ધુમ્રપાન
કરનારા\તમાકુનું સેવન કરનારા વ્યસનીઓને બિન-વ્યસનીઓ કરતા હ્રદયના રોગ અને
પક્ષાઘાત થવાની 2થી 3ગણી સંભાવના હોય છે. દર 8 સેકન્ડે ‘તમાકુ સંબંધિત’ એક મૃત્યુ થાય છે
ભારતમાં તમાકુ સંબંધિત મૃત્યુની કુલ સંખ્યા દર વર્ષે 800,000થી 900,000 વચ્ચે હોવાની સંભાવના છે. તમાકુ છોડવાથી એક કિશોરના જીવનમાં વીસ
વર્ષ ઉમેરાય છે.
તમાકુ છોડવાના ઘણા શારીરિક ફાયદાઓ થાય છે. કેન્સર અને હ્રદય રોગ થવાના જોખમો ઘટશે. હ્રદય પરનો તણાવ ઘટશે.
થોડામાં ઘણું........
વનિતા
રાઠોડ, આચાર્યા,શાળા નં ૯૩,નાના મવા, રાજકોટ
No comments:
Post a Comment