Share it maximum....
Share it maximum....
આપણા અસંસ્કારનું પ્રદર્શન ન કરીએ......
તહેવારોની ઉજવણીમાં સ્વચ્છતાનો ખ્યાલ રાખીએ...અમે મેળામાં નથી જતાં ..મેળો પુરો થાય પછી એ જગ્યાને સ્વચ્છ કરવા ઝુંબેશ હાથ ધરીએ...પણ, જો મેળા એન્જોય કરનાર થોડી તકેદારી રાખે તો શહેર સ્વચ્છ રહે...મેળામાં ઠેર ઠેર કચરા પેટી મુકેલ હોય..ને છતા રેપર્સ,બોટલ, કચરો જેમ તેમ ફેંકાતો હોય...મેળામાં જનાર બધાં અભણ કે નિરક્ષર હોતા નથી.... પણ, સ્વચ્છતાને અને શિક્ષણને કંઈ લેવા દેવા ખરા....!! ??? સ્વચ્છતા એ સંસ્કાર છે.. અને ગંદકી કરવી અને ફેલાવવી એ અસંસ્કારનું પ્રદર્શન છે... અને ભણેલા બધાં સંસ્કારી નથી હોતા એ સાબિત થાય છે...!! ગરીબોનાં ઝુપડાં કે આંગણા સ્વચ્છ હોય છે....!.ને મોંઘીઘાટ ગાડીમાંથી કચરો રસ્તા પર ફેંકાતો હોય છે...!!!.આમ માટે આકરા દંડની જોગવાઈ થવી જોઈએ...કચરો કોઈ કરે ને કોઈ બીજા સફાઈ કરે એ બંધ થવું જોઈએ..સ્વૈચ્છીક સંસ્થાઓ આ કાર્ય હાથ ધરે...આ બંધ થવું જોઈએ....બગડે બીજા...સાફ કરે બીજા...!!! આ બંધ જ થવું જોઈએ....
આકરામાં કડવું...
થોડાંમાં ઘણું...
|| વનિતા રાઠોડ ||
Vanita Rathod rajkot
Monday, 27 May 2019
આપણા અસંસ્કારનું પ્રદર્શન ન કરીએ......
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment